વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી 

કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે

  • [AIIMS 1998]
  • A

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?

ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો. 

એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]

બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ? 

$CO_2$ ,ના $P -T$ ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :

$(a)$ $1$ વાતાવરણ દબાણે અને $-60 \,^oC$ તાપમાને $CO_2$,નું સમતાપી સંકોચન કરવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાં જશે ?

$(b)$ $CO_2$ ,નું દબાણ $4$ વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાનાં તાપમાન સુધી ઠારણ કરાવવામાં આવે તો શું થાય ?

$(c)$ $10$ વાતાવરણ દબાણે અને $-65 \,^oC$ તાપમાને આપેલ જથ્થાનાં ઘન $CO_2$,નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરતાં થતાં ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો.

$(d)$ $CO_2,$ ને $70 \,^oC$ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેનાં ક્યા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો ?