પૃથ્વીના પોપડામાં નાઈટ્રેટ્સ અને ફોસ્ફેટ્સના કેટલાક જમાવડા છે. નાઈટ્રેટ્સ પાણીમાં વધુ દ્રાવ્ય છે. પ્રયોગશાળાની પરિસ્થિતિઓમાં નાઈટ્રેટ્સનું રિડક્શન કરવું મુશ્કેલ છે પરંતુ સૂક્ષ્મજીવો તેને સરળતાથી કરે છે. એમોનિયા સંક્રાંતિ ધાતુ આયનો સાથે મોટી સંખ્યામાં સંકીર્ણ બનાવે છે. સંકરણ $NH_3$ અને $PH_3$ ની સિગ્મા દાન ક્ષમતાને સરળતાથી સમજાવે છે. ફોસ્ફિન એક જ્વલનશીલ વાયુ છે અને તે સફેદ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે.
$1.$ નીચેનામાંથી કયું વિધાન સાચું છે:
$(A)$ મનુષ્યોમાં ફોસ્ફેટ્સનું કોઈ જૈવિક મહત્વ નથી
$(B)$ નાઈટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ વચ્ચે,પૃથ્વીના પોપડામાં ફોસ્ફેટ્સ ઓછા પ્રમાણમાં જોવા મળે છે
$(C)$ નાઈટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ વચ્ચે,પૃથ્વીના પોપડામાં નાઈટ્રેટ્સ ઓછા પ્રમાણમાં જોવા મળે છે
$(D)$ જમીનમાં નાઈટ્રેટ્સનું ઓક્સિડેશન શક્ય છે
$2.$ નીચેનામાંથી કયું વિધાન સાચું છે:
$(A)$ $NH_3$ અને $PH_3$ વચ્ચે,$NH_3$ વધુ સારું ઇલેક્ટ્રોન દાતા છે કારણ કે ઇલેક્ટ્રોનની અબંધકારક જોડી ગોળાકાર '$s$' કક્ષકમાં રહેલી છે અને તે ઓછી દિશાત્મક છે
$(B)$ $NH_3$ અને $PH_3$ વચ્ચે,$PH_3$ વધુ સારું ઇલેક્ટ્રોન દાતા છે કારણ કે ઇલેક્ટ્રોનની અબંધકારક જોડી $sp^3$ કક્ષકમાં રહેલી છે અને તે વધુ દિશાત્મક છે
$(C)$ $NH_3$ અને $PH_3$ વચ્ચે,$NH_3$ વધુ સારું ઇલેક્ટ્રોન દાતા છે કારણ કે ઇલેક્ટ્રોનની અબંધકારક જોડી $sp^3$ કક્ષકમાં રહેલી છે અને તે વધુ દિશાત્મક છે
$(D)$ $NH_3$ અને $PH_3$ વચ્ચે,$PH_3$ વધુ સારું ઇલેક્ટ્રોન દાતા છે કારણ કે ઇલેક્ટ્રોનની અબંધકારક જોડી ગોળાકાર '$s$' કક્ષકમાં રહેલી છે અને તે ઓછી દિશાત્મક છે
$3.$ સફેદ ફોસ્ફરસની $NaOH$ સાથેની પ્રક્રિયાથી નીપજ તરીકે $PH_3$ મળે છે. આ એક:
$(A)$ ડાયમરાઈઝેશન પ્રક્રિયા છે
$(B)$ વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે
$(C)$ કન્ડેન્સેશન પ્રક્રિયા છે
$(D)$ અવક્ષેપન પ્રક્રિયા છે
પ્રશ્ન $1, 2$ અને $3$ ના જવાબ આપો.