(N/A) $1901$ માં,હ્યુગો દ વ્રીસે ઇવનિંગ પ્રિમરોઝ ($Oenothera$ $lamarckiana$) છોડ પર પ્રયોગો કર્યા અને ઉત્ક્રાંતિનો વિકૃતિવાદ રજૂ કર્યો.
આ સિદ્ધાંત જણાવે છે કે ઉત્ક્રાંતિ વસ્તીમાં થતા અચાનક અને મોટા તફાવતો (વિકૃતિઓ) ને કારણે થાય છે.
તેમનું માનવું હતું કે ઉત્ક્રાંતિનું મુખ્ય કારણ વિકૃતિ છે,નહીં કે ડાર્વિને વર્ણવેલી નાની આનુવંશિક ભિન્નતાઓ.
વિકૃતિઓ યાદચ્છિક (random) અને દિશાવિહીન હોય છે,જ્યારે ડાર્વિનિયન ભિન્નતાઓ નાની અને દિશાત્મક હોય છે.
ડાર્વિન માટે ઉત્ક્રાંતિ એક ક્રમિક પ્રક્રિયા હતી,જ્યારે દ વ્રીસનું માનવું હતું કે વિકૃતિને કારણે નવી જાતિઓનું નિર્માણ થાય છે,જેને તેમણે 'સાલ્ટેશન' (એક જ તબક્કામાં થતી મોટી વિકૃતિ) તરીકે ઓળખાવ્યું હતું.
ત્યારબાદ વસ્તી જનીનશાસ્ત્રના અભ્યાસોએ આ પદ્ધતિઓ પર વધુ સ્પષ્ટતા પૂરી પાડી હતી.