(N/A) કોઈ અવરોધની ધાર પાસેથી કે છિદ્રમાંથી તરંગોનું વાંકું વળવાની ઘટનાને વિવર્તન કહે છે.
ચોક્કસ વ્યાખ્યા: તરંગ અગ્રના મર્યાદિત ભાગ દ્વારા ઉત્પન્ન થતી ભૌતિક અસરને વિવર્તન કહે છે.
વિવર્તનની શોધ સૌપ્રથમ ફ્રાન્સેસ્કો મારિયા ગ્રિમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી હતી.
વિવર્તનની ઘટના ધ્વનિ તરંગો,પ્રકાશના તરંગો,પાણીના તરંગો અને દ્રવ્ય તરંગો એમ તમામ પ્રકારના તરંગોમાં જોવા મળે છે.
વિવર્તન એ તરંગની તરંગલંબાઈ $\lambda$ અને સ્લિટની પહોળાઈ $d$ ના ગુણોત્તર $\frac{\lambda}{d}$ પર આધાર રાખે છે.
વિવર્તનને કારણે અપારદર્શક પદાર્થના ભૌમિતિક પડછાયાની નજીકના વિસ્તારમાં પ્રકાશ ફેલાય છે,જેનાથી અંધારા અને પ્રકાશિત પટ્ટાઓ રચાય છે.
ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ જેવા ઓપ્ટિકલ સાધનોની વિભેદન શક્તિ (resolving power) વિવર્તનને કારણે મર્યાદિત હોય છે.
$CD$ પર દેખાતા રંગો વાસ્તવમાં વિવર્તનની અસરને કારણે હોય છે.
વિવર્તનને તરંગવાદ દ્વારા સમજાવી શકાય છે અને સ્લિટ પર આપાત થતા તરંગ અગ્રના આધારે તેના બે પ્રકાર છે:
$(i)$ જો સ્લિટ પર ગોલીય તરંગ અગ્ર આપાત થાય,તો તેને ફ્રેનલ (Fresnel) વિવર્તન કહે છે.
$(ii)$ જો સ્લિટ પર સમતલ તરંગ અગ્ર આપાત થાય,તો તેને ફ્રોનહોફર (Fraunhofer) વિવર્તન કહે છે.