(N/A) મધમાખીમાં જાતિનું નિર્ધારણ વ્યક્તિગત સજીવને મળતા રંગસૂત્રોના સમૂહની સંખ્યા પર આધારિત છે.
શુક્રકોષ અને અંડકોષના મિલનથી બનતી સંતતિ માદા (રાણી અથવા કામદાર) તરીકે વિકસે છે,અને અફલિત અંડકોષ અસંયોગીજનન (parthenogenesis) દ્વારા નર (ડ્રોન) તરીકે વિકસે છે.
આનો અર્થ એ છે કે નરમાં માદાની સરખામણીમાં અડધા રંગસૂત્રો હોય છે.
માદા દ્વિતીય (diploid) હોય છે જેમાં $32$ રંગસૂત્રો હોય છે અને નર એકકીય (haploid) હોય છે,એટલે કે તેમાં $16$ રંગસૂત્રો હોય છે.
આને એકકીય-દ્વિતીય (haploid-diploid) જાતિ નિર્ધારણ પદ્ધતિ કહેવામાં આવે છે અને તેની કેટલીક વિશેષતાઓ છે,જેમ કે નર સમભાજન (mitosis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે; તેમને પિતા હોતા નથી અને તેથી તેમને પુત્રો હોઈ શકતા નથી,પરંતુ તેમને દાદા હોય છે અને તેમને પૌત્રો હોઈ શકે છે.