(N/A) $\Rightarrow$ વ્યાખ્યા: કોઈપણ પદાર્થના અણુઓનું વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ થતા વહનને પ્રસરણ કહે છે. અણુઓ યાદચ્છિક રીતે ગતિ કરે છે.
$\Rightarrow$ ગુણધર્મો:
$\bullet$ પ્રસરણ દ્વારા થતું વહન નિષ્ક્રિય (passive) હોય છે.
$\bullet$ તે કોષના એક ભાગમાંથી બીજા ભાગમાં અથવા એક કોષમાંથી બીજા કોષમાં થઈ શકે છે.
$\bullet$ આ વહન ટૂંકા અંતર માટે હોય છે.
$\bullet$ તે પર્ણના આંતરકોષીય અવકાશમાંથી બહારના વાતાવરણમાં થઈ શકે છે.
$\bullet$ પ્રસરણમાં કોઈ ઉર્જાનો વપરાશ થતો નથી.
$\bullet$ પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને તે 'જીવંત તંત્ર' પર આધારિત નથી.
$\bullet$ પ્રસરણ વાયુઓ અને પ્રવાહીઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
$\bullet$ ઘન પદાર્થોનું પ્રસરણ પણ શક્ય છે.
$\bullet$ વનસ્પતિઓ માટે પ્રસરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે વનસ્પતિ દેહમાં વાયુઓના વહનનું એકમાત્ર માધ્યમ છે.
$\bullet$ પ્રસરણનો દર સાંદ્રતા ઢાળ,તેમને અલગ કરતી પટલની પારગમ્યતા,તાપમાન અને દબાણ દ્વારા પ્રભાવિત થાય છે.