(N/A) જો પ્રકાશના ઉદગમો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત અચળ હોય અથવા તેમનો કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય,તો આવા ઉદગમોને સુસંબદ્ધ ઉદગમો કહેવામાં આવે છે.
વ્યતિકરણ ભાતમાં કોઈપણ બિંદુએ તીવ્રતા સમય સાથે બદલાતી નથી. આ પ્રકારના વ્યતિકરણને સ્થાયી વ્યતિકરણ કહેવામાં આવે છે.
સ્થાયી વ્યતિકરણ માટે બે સુસંબદ્ધ ઉદગમો હોવા જરૂરી છે અને તેમના કંપવિસ્તાર પણ સમાન હોવા જોઈએ.
સ્થાયી વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમની સ્થિતિ સમય સાથે બદલાતી નથી.
જ્યારે બે કંપન કરતા ઉદગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય,ત્યારે આવા ઉદગમોને અસુસંબદ્ધ ઉદગમો કહેવામાં આવે છે.
અસુસંબદ્ધ ઉદગમોમાંથી નીકળતા તરંગોના સંપાતીકરણને કારણે પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે,તેથી બે અલગ-અલગ પ્રકાશના ઉદગમો દીવાલને પ્રકાશિત કરે છે.
જ્યારે બે ઉદગમોનો પથ તફાવત અચળ ન હોય,ત્યારે વ્યતિકરણ ભાત પણ સમય સાથે બદલાય છે. જો પથ તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાય,તો મહત્તમ અને ન્યૂનતમની સ્થિતિ પણ ઝડપથી બદલાશે અને આપણે સમય સાથે તીવ્રતાનું સરેરાશ વિતરણ જોઈશું.
આ સરેરાશ તીવ્રતા નીચે મુજબ આપવામાં આવે છે:
$\langle I \rangle = 4 I_{0} \langle \cos^{2} \left( \frac{\phi}{2} \right) \rangle$
જ્યાં $\langle \cos^{2} \left( \frac{\phi}{2} \right) \rangle$ એ સમય સરેરાશ પદ દર્શાવે છે.
જો $\phi(t)$ સમય સાથે યાદચ્છિક રીતે બદલાતું હોય,તો સમય સરેરાશ રાશિ $\langle \cos^{2} \left( \frac{\phi}{2} \right) \rangle$ એ $\frac{1}{2}$ થશે,અને તમામ બિંદુઓ પર પરિણામી તીવ્રતા:
$I = 4 I_{0} \times \frac{1}{2}$
$\therefore I = 2 I_{0} \text{ તમામ બિંદુઓ પર.}$