(N/A) બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થાય છે:
તબક્કો $1$: $\sigma$-સંકિર્ણ (એરેનિયમ આયન) નું નિર્માણ.
આ તબક્કામાં,ઇલેક્ટ્રોન અનુરાગી $(E^+)$ બેન્ઝીન વલય પર હુમલો કરે છે,જેનાથી બેન્ઝીન વલયના સ્થાયી $\pi$-ઇલેક્ટ્રોન વાદળનો નાશ થાય છે. આનાથી કાર્બોકેટાયન મધ્યવર્તી નીપજ બને છે જેને $\sigma$-સંકિર્ણ અથવા એરેનિયમ આયન કહેવાય છે. આ તબક્કામાં એરોમેટિકતા ગુમાવવી પડે છે અને વધુ ઉર્જાની જરૂર પડે છે,તેથી આ ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. $\sigma$-સંકિર્ણમાં એક કાર્બન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે,જે તેને બિન-એરોમેટિક બનાવે છે. ધન વીજભાર વલય પર સંસ્પંદન દ્વારા વિસ્થાનિકૃત થાય છે,જે રચનાઓ $A$,$B$,અને $C$ દ્વારા દર્શાવેલ છે,અને $D$ એ સંસ્પંદન સંકર સ્વરૂપ છે.
તબક્કો $2$: એરોમેટિકતા પુનઃસ્થાપિત કરવા માટે પ્રોટોનનું દૂર થવું.
આ ઝડપી તબક્કામાં,$\sigma$-સંકિર્ણ તેના $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરથી પ્રોટોન $(H^+)$ ને બેઝને મુક્ત કરે છે. આનાથી વલયની એરોમેટિકતા પાછી આવે છે અને અંતિમ વિસ્થાપિત બેન્ઝીન નીપજ મળે છે.