અર્ધીકરણ - $I$ (Meiosis - $I$) ની પૂર્વાવસ્થા - $I$ (Prophase - $I$) ની વિવિધ ઉપાવાસ્થાઓનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $ \Rightarrow $ અર્ધીકરણ - $I$ ની પૂર્વાવસ્થા - $I$: આ અવસ્થા લાંબી અને વધુ જટિલ છે. રંગસૂત્રોના વર્તનને આધારે તેને પાંચ ઉપાવાસ્થાઓમાં વહેંચવામાં આવી છે.
$(i)$ લેપ્ટોટીન: આ અર્ધીકરણની પ્રથમ અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીમે ધીમે દ્રશ્યમાન થાય છે. લેપ્ટોટીન દરમિયાન રંગસૂત્રોનું સંઘનન ચાલુ રહે છે.
$ \Rightarrow $ દરેક રંગસૂત્ર બે રંગસૂત્રિકાઓ (chromatids) અને સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે.
$(ii)$ ઝાયગોટીન: આ અવસ્થા દરમિયાન,રંગસૂત્રો એકબીજા સાથે જોડાવવાનું શરૂ કરે છે અને આ જોડાણની પ્રક્રિયાને સાયનેપ્સિસ કહેવાય છે. આવા જોડાયેલા રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહેવાય છે.
$ \Rightarrow $ આ પ્રક્રિયા ઝિપરની જેમ આગળ વધે છે. સાયનેપ્સિસ પામેલા સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને બાયવેલેન્ટ અથવા ટેટ્રાડ કહેવાય છે.
$(iii)$ પેકીટીન: આ અવસ્થા દરમિયાન બાયવેલેન્ટ રંગસૂત્રો સ્પષ્ટપણે ટેટ્રાડ તરીકે દેખાય છે. સમજાત રંગસૂત્રોની નોન-સિસ્ટર રંગસૂત્રિકાઓ એકબીજા સાથે ગૂંચવાયેલી હોય છે.
$ \Rightarrow $ આ અવસ્થા પુનઃસંયોજન ગ્રંથિકાઓ (recombination nodules) ની હાજરી દ્વારા લાક્ષણિક છે.
$ \Rightarrow $ સમજાત રંગસૂત્રોની નોન-સિસ્ટર રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ (crossing over) થાય છે.
$ \Rightarrow $ વ્યતિકરણ એ જનીનિક દ્રવ્યની આપ-લે છે,જે રીકોમ્બિનેઝ ઉત્સેચક દ્વારા થાય છે.
$(iv)$ ડીપ્લોટીન: ડીપ્લોટીનની શરૂઆત સાયનેપ્ટોનેમલ સંકુલના વિઘટન દ્વારા થાય છે. વ્યતિકરણના સ્થાનો સિવાય સમજાત રંગસૂત્રો એકબીજાથી અલગ થવાનું શરૂ કરે છે.
$ \Rightarrow $ આ $X$-આકારની રચનાઓને કાએઝમેટા (chiasmata) કહેવાય છે.
$(v)$ ડાયાકાઈનેસિસ: આ પૂર્વાવસ્થા - $I$ ની અંતિમ અવસ્થા છે. કાએઝમેટાનું અંતિમકરણ થાય છે. કોષકેન્દ્રિકા અદ્રશ્ય થાય છે અને કોષકેન્દ્રપટલ તૂટી જાય છે. રંગસૂત્રો સંપૂર્ણપણે સંઘનિત થાય છે.

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો.

જ્યારે અર્ધીકરણના પ્રથમ ન્યૂનકારી વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા પહેલેથી જ અડધી થઈ ગઈ હોય,ત્યારે બીજા અર્ધીકરણ વિભાજનની શું જરૂરિયાત છે?

દ્વિસૂત્રીય (bivalent) રચનામાં ઓછામાં ઓછી કેટલી સ્વસ્તિક (chiasmata) રચના જોવા મળે છે?

અર્ધસૂત્રીભાજનમાં કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા કઈ અવસ્થામાં અદ્રશ્ય થાય છે?

અર્ધીકરણ (Meiosis) નીચેનામાંથી કયા કોષોમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo