પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.
ન્યુક્લિઓટાઇડ ત્રણ ઘટકો ધરાવે છે : $(1)$ નાઇટ્રોજન બેઇઝ $(2)$ પેન્ટોઝ શર્કરા $(3)$ ફૉસ્ફટ જૂથ.
$(1)$ નાઇટ્રોજન બેઇઝ : બે પ્રકારના હોય છે : $(i)$ યુરિન (એડેનીન, ગ્વાનીન) $(ii)$ પિરિમિડીન (સાઇટોસિન, યુરેસીલ, થાયમીન).
$RNA$માં થાઇમિનના સ્થાને યુરેસીલ જોવા મળે છે.
$(2)$ પેન્ટોઝ શર્કરા : $DNA$ નાં બંધારણમાં ડિઑક્સિરિબોઝ શર્કરા જોવા મળે છે. $RNA$ના બંધારણમાં રિબોઝ શર્કરા હોય છે.
નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન $(C)$ ના $- OH$ સમૂહ સાથે $N -$ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિઓસાઇડ બનાવે છે.
દા.ત., એડિનોસાઇન $/$ ડિઑક્સિએડિનોસાઇન, ગ્વાનોસાઇન
ડિઑક્સિગ્યાનોસાઇન, સાઇટિડીન $/$ ડિઑક્સિસાઇટિડીન, યુરેડીન $/$ ડિઑક્સિથાઇમિડીન
$(3)$ ફૉસ્ફટ જૂથ: જયારે ફૉસ્ફટ સમૂહ ફૉસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા કાર્બન $(C)$ના $- OH$ સમૂહ સાથે જોડાય છે ત્યારે ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે. બે ન્યુક્લિટાઇમ્સ $3'-5'$ ફૉસ્ફોડાયઍસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિઓટાઇડનું નિર્માણ કરે છે.
આ રીતે અસંખ્ય ન્યુક્લિઓટાઇસ જોડાઈને શુંખલાનું નિર્માણ કરે છે.
જો એક રંગસુત્ર $2,00,000$ બેઈઝ જોડ ધરાવતો હોય તો તેમાં કેટલા ન્યુક્લિઓઝોમ હશે ?
નીચે મઘ્યસ્થ(પ્રસ્થાપિત) પ્રણાલી આપેલ છે, જેમાં $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ દર્શાવે છે ?
$P \quad Q \quad R$
ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?
જો હિસ્ટોનને વિકૃત કરી, બેઝિક એમિનો એસિડ લાયસીન અને આર્જિનીનને બદલે એસિડિક એસિડસભર (જેમ કે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ) કરાય તો શું થાય ?