(N/A) $\Rightarrow$ જ્યારે પણ કોઈ આવશ્યક તત્વનો પુરવઠો મર્યાદિત બને છે,ત્યારે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે.
$\Rightarrow$ આવશ્યક તત્વની જે સાંદ્રતાથી નીચે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે,તેને ક્રાંતિક સાંદ્રતા (critical concentration) કહેવામાં આવે છે.
$\Rightarrow$ જ્યારે તત્વ ક્રાંતિક સાંદ્રતાથી ઓછું હોય ત્યારે તેને ઉણપવાળું ગણવામાં આવે છે.
$\Rightarrow$ ઉણપના લક્ષણો: દરેક તત્વ વનસ્પતિમાં એક અથવા વધુ વિશિષ્ટ બંધારણીય અથવા કાર્યાત્મક ભૂમિકા ભજવે છે. કોઈપણ ચોક્કસ તત્વની ગેરહાજરીમાં,વનસ્પતિ અમુક બાહ્યાકાર ફેરફારો દર્શાવે છે.
$\Rightarrow$ આ બાહ્યાકાર ફેરફારો અમુક તત્વોની ઉણપ સૂચવે છે અને તેને ઉણપના લક્ષણો કહેવામાં આવે છે. ઉણપના લક્ષણો દરેક તત્વ માટે અલગ-અલગ હોય છે અને જ્યારે વનસ્પતિને તે પોષક તત્વ આપવામાં આવે છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે.
$\Rightarrow$ જો કે,જો ઉણપ ચાલુ રહે,તો તે અંતે વનસ્પતિના મૃત્યુ તરફ દોરી શકે છે.
$\Rightarrow$ વનસ્પતિના કયા ભાગોમાં ઉણપના લક્ષણો દેખાશે તે તત્વની વનસ્પતિમાં ગતિશીલતા પર આધાર રાખે છે.
$\Rightarrow$ ગતિશીલ તત્વો: જે તત્વો વનસ્પતિમાં સક્રિય રીતે ગતિશીલ હોય છે અને યુવાન વિકાસશીલ પેશીઓમાં સ્થાનાંતરિત થાય છે,તેમના ઉણપના લક્ષણો પહેલા જૂની પેશીઓમાં જોવા મળે છે. જૂના પાંદડાઓમાં,આ તત્વો ધરાવતા જૈવિક અણુઓનું વિઘટન થાય છે,જેનાથી આ તત્વો યુવાન પાંદડાઓ તરફ ગતિ કરવા માટે ઉપલબ્ધ થાય છે.
$\Rightarrow$ અગતિશીલ તત્વો: જ્યારે તત્વો પ્રમાણમાં અગતિશીલ હોય છે અને પરિપક્વ અંગોમાંથી બહાર પરિવહન પામતા નથી,ત્યારે ઉણપના લક્ષણો પહેલા યુવાન પેશીઓમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે,સલ્ફર અને કેલ્શિયમ જેવા તત્વો કોષના બંધારણીય ઘટકનો ભાગ છે અને તેથી તે સરળતાથી મુક્ત થતા નથી.
$\Rightarrow$ વનસ્પતિના ખનિજ પોષણનું આ પાસું કૃષિ અને બાગાયત માટે ખૂબ જ મહત્વનું છે.